September 2, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં આવેલ માવલી ધોધ અને ભીલી ધોધ આવેલ છે, જે ચોમાસા દરમિયાન જોવા લાયક રહે છે, કુદરતી રીતે પહાડી વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ ધોધ જોવા મળે છે અનેક જગ્‍યાએ ઝરણાઓ સોળેકળાએ ખીલેલા જોવા મળે છે. આ કુદરતી નજારો જોઈને મન મહેક બને છે, લાગે ધરતીમાં એ લીલી ચાદર ઓઢી હોય એવું ચારે તરફ નજારો જોવા મળે છે, આખો પહાડી વિસ્‍તાર લીલોછમ જોવા મળે છે, કપરાડાના અનેક ગામોમાં નાની નાની નદીઓમાં ઝરણાંઓ વહેતા દેખાય છે, કેટલીક જગ્‍યાએ ધોધ પણ આવેલા છે ગામ લોકોને કહેવા પ્રમાણે આ ઐતિહાસિક ધોધ છે કપરાડા થી 20 કિલોમીટર દૂર સિલ્‍ધા ગામ આવેલ છે જ્‍યાં કરજપાડા ફળિયામાં બે ધોધ આવેલા છે. દિવાળીના સમયે ગામના લોકો સાત દિવસ મઠમાં બેસીને રીત રીવાજ પ્રમાણે પૂજા પાઠ કરવામાં આવે છે, સાત દિવસ બાદ માવલી ધોધ પાસે જઈને ત્‍યાં આવેલ દેવોની પૂજા કરે છે, ધોધ પાસે સ્‍નાન કરે છે ત્‍યાં સ્‍નાન કર્યા બાદ પહાડી પર ચાલતા ચાલતા જઈ જ્‍યાં પહાડી ઉપર એક ભીલી ધોધ આવેલ છે ત્‍યાં દેવી દેવતાઓના પૂજાપાઠ કરે છેઅને પૂજા કર્યા પછી સ્‍નાન કરીને ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે અને દિવાળીના સમયે ખેતીમાં વાવેલ નવા પાકથી ભોજન બનાવે છે અને દેવોને ચડાવી ત્‍યાર પછી ગ્રામજનો નવા પાકમાંથી બનાવેલ ભોજન ખાય છે. અહીં પહાડી વિસ્‍તારમાં આ પરંપરા આવેલી છે સરકાર દ્વારા આ ધોધ વિકસાવવામાં આવે તો પ્રવાસી પણ અહીંયા આવી શકે સહેલાણીઓ આ ધોધને રમણિય વાતાવરણમાં નિહાળી શકે અને ગ્રામજનોને રોજગાર પણ મળી શકે.

Related posts

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

Leave a Comment