Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત રાજ્‍યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ માટે ગતતા.04 ઓગસ્‍ટથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજ્‍ય વ્‍યાપી તલાટી હડતાલમાં વલસાડ જિલ્લાના તલાટી પણ જોડાયા છે. તલાટીઓની 10 દિવસની હડતાલને લઈને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના રોજબરોજના કામકાજો ઠપ્‍પ થઈ ગયા છે તેથી લોકોને પડી રહેલી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઈ આજરોજ સોમવારે વલસાડ તાલુકા સરપંચ સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ તાલુકા સરપંચ સંઘએ આવેદનમાં કરેલી રજૂઆત મુજબ તલાટી કમ મંત્રીઓની હડતાલથી ગ્રામજનોના જન્‍મ-મરણ દાખલા, આધાર કાર્ડ, જાતિ વિષયક દાખલા, આવકના દાખલા જેવા રોજબરોજના કામો માટે લોકો પંચાયોતમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરિણામે વિકટ અને વિષમ સ્‍થિતિ દિવસે દિવસે ઉભી થઈ રહી છે. તેથી રાજ્‍ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવા આજે 50 જેટલા સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કેબીનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને પણ અનેક લોકો દ્વારા વ્‍યાપક ફરિયાદો કરવામાં આવી છે ત્‍યારે જાહેર હિત માટે તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવો રહ્યો.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment