August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23
દીવના વણાકબારા કમ્‍યુનિટી હોલ ખાતે દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી ક્‍20 પુસ્‍તક ની જાણકારી જન જન સુધી પહોંચે અને લોકોને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના કાર્યો તથા યોજનાઓ વિશે માહિતી મળી રહે તેને લઈને દીવમાં મહારાષ્‍ટ્ર ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ તેમજ મોદી @20 ના રાષ્‍ટ્રીય સહ સંયોજક શ્રીમતી ચિત્રા બહેન વાઘની ઉપસ્‍થિતિમાં મોદી ક્‍20 સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્‍ય મહેમાન ચિત્રા વાઘ એ પોતાના વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો તથા યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી, તેઓએ મોદી ક્‍20 પુસ્‍તકમાં 21 અધ્‍યાય છે. જેમાં નામી લેખકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના વિશે પ્રસંશનીય લેખ લખ્‍યા છે, કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ બિપિન શાહ તથા બીજેપીના રસીક માંડણએ પણ મોદી સરકાર તથા તેમની ભૂતકાળમાં નરેન્‍દ્ર મોદી સાથેની મુલાકાત વિશે લોકોને જણાવ્‍યું, અને તેમની સાદગીથી જીવન જીવવાની રીતની પણ માહિતી આપી હતી. આ પ્રસંગેદીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, રામજી પારસમણિ, બીજેપી મંત્રી મોહનભાઈ, વણાકબારા ગ્રામ સરપંચ મિનાક્ષી જીવન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, બીજેપીના હોદેદારો અને કાર્યકર્તાઓ, કાઉન્‍સિલરો, તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા બીજેપી મંત્રી ભવ્‍યેશ ચૌહાણએ કર્યું હતું અને આભારવિધિ જિલ્લા બીજેપી મંત્રી મોહનભાઈએ કરી હતી. રાષ્‍ટ્રગીત સાથે આ સેમિનારને સંપન્ન ઘોષિત કરવામાં આવ્‍યો હતો.

Related posts

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment