December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

  • સંસદની જળ સંસાધન સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને 9 સાંસદોની રહેલી ઉપસ્‍થિતિ

  • નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે સંસદની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડીંગ કમિટી અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોએ દમણવાડા ગ્રામ પંચાયત અને દમણવાડા ખાતેના નંદ ઘરની મુલાકાત લીધી હતી.
જળ સંસાધન સંસદીય સ્‍થાયી સમિતિનું નેતૃત્‍વ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી પી. રવિન્‍દ્રનાથ, સાંસદ શ્રી એમ. ધનુષ કુમાર, સાંસદ શ્રી માધવ ગોરંતલા કુર્વા, સાંસદ શ્રી શિવકુમાર સી. ઉદાસી, સાંસદ શ્રી અરૂણસિંહ, સાંસદ શ્રી ચંદનસિંહ વગેરે સાથે સંસદીય સમિતિનાઅધિકારીઓ, દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સાંસદોના જૂથે નંદઘરની ખૂબ જ પ્રશંસા કરી હતી અને નંદઘરમાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવામાં આવતા આહારની સુવિધા બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાતથી પણ સાંસદોનું જૂથ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને સરપંચશ્રી મુકેશ ગોસાવી સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Related posts

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment