Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

  • સંસદની જળ સંસાધન સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ હસમુખભાઈ સોમાભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને 9 સાંસદોની રહેલી ઉપસ્‍થિતિ

  • નંદઘર અને ગ્રામ પંચાયતના કાર્યાલય અને કામકાજથી પ્રભાવિત બનેલા સાંસદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે સંસદની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડીંગ કમિટી અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોએ દમણવાડા ગ્રામ પંચાયત અને દમણવાડા ખાતેના નંદ ઘરની મુલાકાત લીધી હતી.
જળ સંસાધન સંસદીય સ્‍થાયી સમિતિનું નેતૃત્‍વ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલે કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી પી. રવિન્‍દ્રનાથ, સાંસદ શ્રી એમ. ધનુષ કુમાર, સાંસદ શ્રી માધવ ગોરંતલા કુર્વા, સાંસદ શ્રી શિવકુમાર સી. ઉદાસી, સાંસદ શ્રી અરૂણસિંહ, સાંસદ શ્રી ચંદનસિંહ વગેરે સાથે સંસદીય સમિતિનાઅધિકારીઓ, દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સાંસદોના જૂથે નંદઘરની ખૂબ જ પ્રશંસા કરી હતી અને નંદઘરમાં બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવામાં આવતા આહારની સુવિધા બાબતમાં પણ જાણકારી મેળવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાતથી પણ સાંસદોનું જૂથ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને સરપંચશ્રી મુકેશ ગોસાવી સાથે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Related posts

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

Leave a Comment