September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે એની સાથે મંડપમા પ્‍લાસ્‍ટિક તેમજ થર્મોકોલની કોઈપણ વસ્‍તુ સુશોભન માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. કોરોના કાળના બે વર્ષના ગાળા બાદ આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે જેથી મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી છે. ગણેશ ભક્‍તો દ્વારા માટીની મૂર્તિઓનું બુકિંગ કરાવવામાં આવીરહ્યું છે અને મૂર્તિકારો પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.


નગરપાલિકાની ટીમ દ્વારા જે કોઈ મૂર્તિ વેચનારાઓ છે તેઓની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, દરેક મૂર્તિકારો ખરેખર માટીની મૂર્તિઓ જ બનાવી વેચે છે કે પછી… તે બાબે ન.પા. ટીમે મૂર્તિકારોના ઘરે જઈને પણ ચકાસણી કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

Leave a Comment