October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડ

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : બુધવારે દમણમાં નારિયેળી પૂર્ણિમાની ઉજવણી આનંદ, ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. માછી સમાજ દ્વારા દરિયાદેવની પૂજા સાથે મચ્‍છીમારી માટે દરિયામાં જવાની તૈયારી પણ કરી હતી. વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે રોજગારી મળી રહે એવા ભાવ સાથે દરિયામાં શ્રીફળ પધરાવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે નારિયેળી પૂર્ણિમાના દિવસે માછીમારોએ પોતાના બોટની પૂજા કરી કરિયાણું, બરફ, જરૂરી સામાન ભરાવીને દરિયામાં મચ્‍છીમારી માટે જવાની તૈયારી કરી હતી. જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્‍યારે નારિયેળી પૂર્ણિમાથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે.નવ મહિના દરિયા દેવ માછીમારોને સાચવે અને ધંધા-રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે માછીમારોએ મચ્‍છીમારી માટે દરિયો ખેડવાની શુભ શરૂઆત કરી છે.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા) તથા માછી સમાજના આગેવાનો અને બોટના માલિકો પણ પૂજાવિધિમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્દી હાસ્ય કવિ ગોષ્ઠી મંચનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

Leave a Comment