June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડ

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : બુધવારે દમણમાં નારિયેળી પૂર્ણિમાની ઉજવણી આનંદ, ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. માછી સમાજ દ્વારા દરિયાદેવની પૂજા સાથે મચ્‍છીમારી માટે દરિયામાં જવાની તૈયારી પણ કરી હતી. વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે રોજગારી મળી રહે એવા ભાવ સાથે દરિયામાં શ્રીફળ પધરાવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે નારિયેળી પૂર્ણિમાના દિવસે માછીમારોએ પોતાના બોટની પૂજા કરી કરિયાણું, બરફ, જરૂરી સામાન ભરાવીને દરિયામાં મચ્‍છીમારી માટે જવાની તૈયારી કરી હતી. જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્‍યારે નારિયેળી પૂર્ણિમાથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે.નવ મહિના દરિયા દેવ માછીમારોને સાચવે અને ધંધા-રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે માછીમારોએ મચ્‍છીમારી માટે દરિયો ખેડવાની શુભ શરૂઆત કરી છે.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા) તથા માછી સમાજના આગેવાનો અને બોટના માલિકો પણ પૂજાવિધિમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment