Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

ચેતાલીબેન રાજપૂત ઈકોફ્રેન્‍ડલી શ્રીજીનીમાટીની મૂર્તિઓનું સર્જન કરી માટીની મૂર્તિઓ વાપરવાની અપીલ કરી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: માનવ જીવનમાં રિધ્‍ધિ સિધ્‍ધિ સુખ સંપત્તિ અર્પતા ગૌરીપૂત્ર ગણેશજીની પધરામણી આડે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્‍યારે શ્રીજીની મૂર્તિઓ લાવવા-પધારમણીનો દોર સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂ થઈ ચૂક્‍યો છે ત્‍યારે વલસાડની મહિલા મારા ગણેશ માટીના ગણેશ ની મુહિમ ચલાવી રહ્યા છે. નદીની માટીની ઈકો ફ્રેન્‍ડલી શ્રીજીની કલાત્‍મક મૂર્તિઓ બનાવી તેમજ મૂર્તિ બનાવવાનું પ્રશિક્ષણ ઓનલાઈન, ઓફલાઈન આપી રહ્યા છે. જેનો વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
વલસાડ શહેરમાં વસતા એલાઈડ આર્ટ નેશનલ ડીપ્‍લોમા ઈન ફાઈન આર્ટસની ડીગ્રી ધરાવતા ચેતાલીબેન રાજપૂત છેલ્લા 7 વર્ષથી માટી દ્વારા કલાત્‍મક શ્રીજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ ઓફ એન્‍ડ ઓનલાઈન પણ આપી રહ્યા છે. અન્‍ય પદાર્થો દ્વારા બનાવાતી મૂર્તિઓ પાણીમાં વિસર્જન થાય ત્‍યારે લાગણીને ઠેસ પહોંચે છે તેથી માટીની મૂર્તિઓ શ્રેષ્‍ઠ છે તેવુ ચેતાલીબેન જણાવી રહ્યા છે. આર.બી.આઈ.ના સી.આઈ.ઓ. અનિરુધ્‍ધી ભટાચાર્ય માટે વુડન આર્ટ કેલેન્‍ડર તેઓ બનાવી આપે છે. તેઓ વુડન આર્ટમાં પણ નિપુણતા ધરાવે છે. પર્યાવરણની જાળવણીની મુહિમખાસ કરીને શ્રીજીની મૂર્તિઓ ઈકો ફ્રેન્‍ડલી બનાવવા ઉપર વિશેષ ધ્‍યાન લોકોનું દોરી રહ્યા છે.

Related posts

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

Leave a Comment