December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્‍તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જલ અર્પણ કરવામાં આવ્‍યું. મંદિર સંચાલકરોહિત આચાર્ય પ્રભુ દ્વારા કુવાનું પાણી ગંગાજલ યુક્‍તની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આજરોજ શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે પીપલના ઝાડ ઉપર પિતૃદેવને તૃપ્ત કરવા માટે ત્રણ કળશ પાણી ચઢાવવામાં આવે છે અને પીપલની પાસે પિતૃદેવનો અખંડ દીવો પણ મૂકવામાં આવે છે જેથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ વંશજો પર રહે છે. સાંજે મંદિરમાં દીપમાળાના દર્શન તથા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું તેમાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે હર હર મહાદેવના નાદ થી મંદિર ગુંજતું કરવામાં આવ્‍યું હતું. આજરોજ મંદિરમાં બહુ સંખ્‍યામાં ભક્‍તોએ દર્શનનો તર્પણનો લાભ લીધો હતો.

Related posts

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી બેઠક

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

Leave a Comment