Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્‍તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જલ અર્પણ કરવામાં આવ્‍યું. મંદિર સંચાલકરોહિત આચાર્ય પ્રભુ દ્વારા કુવાનું પાણી ગંગાજલ યુક્‍તની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આજરોજ શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે પીપલના ઝાડ ઉપર પિતૃદેવને તૃપ્ત કરવા માટે ત્રણ કળશ પાણી ચઢાવવામાં આવે છે અને પીપલની પાસે પિતૃદેવનો અખંડ દીવો પણ મૂકવામાં આવે છે જેથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ વંશજો પર રહે છે. સાંજે મંદિરમાં દીપમાળાના દર્શન તથા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું તેમાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે હર હર મહાદેવના નાદ થી મંદિર ગુંજતું કરવામાં આવ્‍યું હતું. આજરોજ મંદિરમાં બહુ સંખ્‍યામાં ભક્‍તોએ દર્શનનો તર્પણનો લાભ લીધો હતો.

Related posts

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

Leave a Comment