Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે સાંજના સુમારે ચકચારી ઘટના ઘટી હતી. સ્‍થાનિક કોથરવાડીમાં રહેતા ચાર ઈસમો નિર્દય બની પાઈપ અને લાકડા લઈ ધસી આવી સાત જેટલા નિર્દોષ શ્વાનને માર ફટકારી મોતને ઘાટ ઉતારી દેતા સોસાયટીના બિલ્‍ડરે ચારેય ઈસમો વિરૂધ્‍ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો દાન-પુણ્‍ય કરતા હોય છે ત્‍યારે પારડી કોથરવાડીમાં રહેતા રમણ પટેલ, સંજય ડાહ્યાભાઈ પટેલ, ધનસુખ પટેલ અને પ્રકાશ વિઠ્ઠલ પટેલ નામના ચાર ઈસમો પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં પાઈપ અને લાકડા લઈ ધસી આવ્‍યા હતા.સોસાયટીના છ થી સાત કુતરાને ઢોર માર મારી મોતને ઘાત ઉતારી દીધા ત્‍યારે સ્‍થાનિક રહીશોની લાગણી દુબાઈ હતી. સોસાયટીના ઓફીસ કર્મચારી, બિલ્‍ડર પરષોત્તમભાઈ ઠાકરશી અને અન્‍ય સમજાવા ગયા ત્‍યારે ચારેય ઈસમોએ ધમકી આપી હતી. અમારા મરઘાનો શિકાર કુતરા કરે છે તેથી મારી નાખ્‍યા, તમે પણ વધુ બોલશો તો કુતરાની જેમ મારી નાખીશું. તે પછી સોસાયટીના રહીશોએ કુતરા મારી નાખનાર ચાર ઈસમો વિરૂધ્‍ધ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટસ સાથે ઈન્‍ટરેક્‍ટિવ મિટીંગ યોજાઈ

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment