Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિનો રહેલો ફાળોઃ પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે લોકોમાં સ્‍વયંભૂ સેવા સમર્પણની ભાવના જોવા મળી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યવિધાતા બનેલા શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એન.સી.પી.ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈના જણાવ્‍યા પ્રમાણે પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિ રહેલી છે. તેમના જન્‍મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તેમના નિરોગી જીવન અનેદીર્ઘાયુની કામના કરી હતી.
દમણવાડા ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, પ્રદેશ એન.સી.પી. ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટીના અધ્‍યક્ષ શ્રી ફૈયાઝભાઈ વગેરે પણ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

Related posts

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

vartmanpravah

Leave a Comment