March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિનો રહેલો ફાળોઃ પ્રદેશ એનસીપી પ્રમુખ ધવલ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે લોકોમાં સ્‍વયંભૂ સેવા સમર્પણની ભાવના જોવા મળી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યવિધાતા બનેલા શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એન.સી.પી.ના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એન.સી.પી.ના પ્રદેશ પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈના જણાવ્‍યા પ્રમાણે પ્રદેશના થયેલા અકલ્‍પનિય વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની રાત-દિવસની મહેનત અને દીર્ઘદૃષ્‍ટિ રહેલી છે. તેમના જન્‍મદિન નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તેમના નિરોગી જીવન અનેદીર્ઘાયુની કામના કરી હતી.
દમણવાડા ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, પ્રદેશ એન.સી.પી. ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ માઈનોરિટીના અધ્‍યક્ષ શ્રી ફૈયાઝભાઈ વગેરે પણ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

Related posts

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment