April 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

જીઆઈડીસી જૈન સમુદાયે મહાવિર ભગવાન જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: જૈનોનું મહાપર્વ પર્યુષણ હાલમાં ચાલી રહ્યા છે. ગત તા.24-8-2022 થી તા.31-8-2022 સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી જૈનો ભક્‍તિભાવ-આરાધના સાથેકરી રહ્યા છે તે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં સોમવારે પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરવામાં આવી હતી.
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ કહેવામાં આવે છે. તેથી તેનો મહિમા અત્‍યંત હોવાથી વાપીના તમામ જૈન કિરકાઓ પર્યુષણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ દેરાસરોમાં જૈન મહારાજ સાહેબની નિશ્રામાં ધર્મ વાંચન, પ્રવચનો, ભજનો ચાલી રહ્યા છે. તા.29 ઓગસ્‍ટના દિવસે ભગવાન મહાવિર સ્‍વામીનો જૈન કલ્‍યાણ દિવસ હોવાથી વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં ભગવાન મહાવિર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાનને ચાંદી અને ફુલોની આંગી સમર્પણ કરાઈ હતી. જેનો લાભ ગુંજન જી.આઈ.ડી.સી.ના જૈન સમુદાયએ લીધો હતો.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસથી ભીલાડ જઈ રહેલ કાર નરોલી ચાર રસ્‍તા પાસે ડિવાઈડર સાથે ભટકાઈઃ એરબેગ ખુલી જતાં કારમાં સવાર ચાલક સહિત બે મહિલાનો થયેલો બચાવ

vartmanpravah

સુરતથી વાપી જઈરહેલ કોલસા ભરેલ ડમ્‍પરે મોતીવાડા પાસે પલટી મારી : હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાયા

vartmanpravah

Leave a Comment