Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

જીઆઈડીસી જૈન સમુદાયે મહાવિર ભગવાન જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: જૈનોનું મહાપર્વ પર્યુષણ હાલમાં ચાલી રહ્યા છે. ગત તા.24-8-2022 થી તા.31-8-2022 સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી જૈનો ભક્‍તિભાવ-આરાધના સાથેકરી રહ્યા છે તે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં સોમવારે પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરવામાં આવી હતી.
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ કહેવામાં આવે છે. તેથી તેનો મહિમા અત્‍યંત હોવાથી વાપીના તમામ જૈન કિરકાઓ પર્યુષણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ દેરાસરોમાં જૈન મહારાજ સાહેબની નિશ્રામાં ધર્મ વાંચન, પ્રવચનો, ભજનો ચાલી રહ્યા છે. તા.29 ઓગસ્‍ટના દિવસે ભગવાન મહાવિર સ્‍વામીનો જૈન કલ્‍યાણ દિવસ હોવાથી વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં ભગવાન મહાવિર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાનને ચાંદી અને ફુલોની આંગી સમર્પણ કરાઈ હતી. જેનો લાભ ગુંજન જી.આઈ.ડી.સી.ના જૈન સમુદાયએ લીધો હતો.

Related posts

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

Leave a Comment