June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

વાપી-વલસાડમાં 1500 ઉપરાંત સ્‍થળોએ શ્રીજીની સ્‍થાપના કરી : દોઢ દિવસીય મૂર્તિઓનું ગુરુવારે વિસર્જન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વિઘ્‍નહર્તા ગણપતિ બાપ્‍પાનો મહિમા અપરંપાર છે. ભાદરવા સુદ-4 ગણેશ ચતુર્થીના શુભ દિવસથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનો શુભારંભ થઈ ગયો છે. બે વર્ષના કોરોના વિઘ્‍ન બાદ આ વર્ષે વિઘ્‍નહર્તાની સ્‍થાપના કરવાનો અવસર મળ્‍યો છે ત્‍યારે સમગ્ર જિલ્લો ગણેશમય બની ચૂક્‍યો છે. વાપી, વલસાડની સોસાયટીઓમાં વિવિધ મંડળો દ્વારા આકર્ષક પંડાલોમાં 1500 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. બુધવારથી પ્રારંભ થયેલ ગણેશ મહામહોત્‍સવ આનંદ ચૌદશ સુધી 11 દિવસ ચાલશે. બુધવારે ઢોલ ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા-કુદરતા ભક્‍તો પોતાની શ્રીજીની મૂર્તિઓ લાવ્‍યા હતા. વિધિવતમંત્રોચ્‍ચાર સાથે બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળોના પંડાલમાં જુદી જુદી થીમનો ઓપ અપાયો છે. ક્‍યાંક રાષ્‍ટ્રપ્રેમ, ક્‍યાંક કોરોના, ક્‍યાંક ધાર્મિક થીમોનો ટચ સાથે ગણેશ મહોત્‍સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ચૂક્‍યો છે. દોઢ, ત્રણ, પાંચ, સાત અને અગિયાર દિવસીય ગણેશજીનું ક્રમશઃ વિસર્જન કરવામાં આવશે. આજે ગુરૂવારે દોઢ દિવસીય ગણેશજીનું આજે વિસર્જન કરાયું હતું. મકાનો, ફલેટમાં મોટા ભાગે દોઢ દિવસીય શ્રીજીની સ્‍થાપના કરાય છે. ગણેશ ઉત્‍સવનો પ્રારંભ 150 વર્ષ પહેલાં મહારાષ્‍ટ્રથી થયો હતો પરંતુ હવે ગુજરાતભરમાં ગણેશ ઉત્‍સવની ધૂમ ચાલે છે.

Related posts

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment