December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: કેરલના કોચિન ખાતે શુક્રવારે યોજાયેલ ભારતીય નૌકાદળના પ્રથમ સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતના લોકાર્પણ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ મુલાકાતની તક મળી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને અભિનંદન પાઠવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મહત્‍વના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં કરી હતી.
રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ કેટલાક વ્‍યુહાત્‍મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના ઈતિહાસમાં શ્રી પ્રફુલભાઈપટેલ પહેલા એવા પ્રશાસક છે કે જેમના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી સહિતના ભારત સરકારના મહત્‍વના હોદ્દેદારો સાથે અંગત સ્‍નેહના સંબંધો રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

vartmanpravah

Leave a Comment