Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: કેરલના કોચિન ખાતે શુક્રવારે યોજાયેલ ભારતીય નૌકાદળના પ્રથમ સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતના લોકાર્પણ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ મુલાકાતની તક મળી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને અભિનંદન પાઠવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મહત્‍વના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં કરી હતી.
રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ કેટલાક વ્‍યુહાત્‍મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના ઈતિહાસમાં શ્રી પ્રફુલભાઈપટેલ પહેલા એવા પ્રશાસક છે કે જેમના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી સહિતના ભારત સરકારના મહત્‍વના હોદ્દેદારો સાથે અંગત સ્‍નેહના સંબંધો રહ્યા છે.

Related posts

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

Leave a Comment