Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કોચીન, તા.04: કેરલના કોચિન ખાતે શુક્રવારે યોજાયેલ ભારતીય નૌકાદળના પ્રથમ સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતના લોકાર્પણ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ મુલાકાતની તક મળી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહને અભિનંદન પાઠવી દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મહત્‍વના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં કરી હતી.
રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ સાથે પણ કેટલાક વ્‍યુહાત્‍મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના ઈતિહાસમાં શ્રી પ્રફુલભાઈપટેલ પહેલા એવા પ્રશાસક છે કે જેમના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી સહિતના ભારત સરકારના મહત્‍વના હોદ્દેદારો સાથે અંગત સ્‍નેહના સંબંધો રહ્યા છે.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment