Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચમાં દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
જેમાં સેલવાસ, રખોલી, ખાનવેલ નરોલી, દાદરા વિસ્‍તારમાં સ્‍થાપિત ગણેશ મૂર્તિઓનું આજે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યારે દમણમાં નાની અને મોટી દમણ જેટી તથા જમ્‍પોર બીચ ખાતે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર પાણી અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 200 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દાનહમાં દમણગંગાનદી કિનારે અને દમણમાં પણ જમ્‍પોર બીચ, નાની અને મોટી દમણ જેટી પર ગણેશ વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment