(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચમાં દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જેમાં સેલવાસ, રખોલી, ખાનવેલ નરોલી, દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું આજે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું.
જ્યારે દમણમાં નાની અને મોટી દમણ જેટી તથા જમ્પોર બીચ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર પાણી અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મેડીકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. આજે અંદાજે 200 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દાનહમાં દમણગંગાનદી કિનારે અને દમણમાં પણ જમ્પોર બીચ, નાની અને મોટી દમણ જેટી પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.