Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાયેલ સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ત્રીજા વિજેતા જાહેર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં સંસ્‍થાની સાંસ્‍કૃતિક કમિટી દ્વારા આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ હતી. તેમાં જુદી જુદી ફેકલ્‍ટીની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ સ્‍પર્ધા રસપ્રદ બનાવી હતી.
આર.કે. દેસાઈ કોલેજીસમાં વર્તમાનમાં ચાલી રહેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભે આરતી શણગારની સ્‍પર્ધા કોલેજની સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને આનંદ સાથે આંતરિક કલાને ઉજાગર કરી બેનમુન આરતીની થાળીઓ શણગારી હતી. જેમાં સુસુપ્ત કલાનો નિખાર જોવા મળ્‍યો હતો. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ડો.સારિકા પટેલ અને ડો.કવિતા પટેલે ખુબ જ નિખાલશપણે નિર્ણાયકની ભૂમિકા અદા કરી પરિણામની જાહેરાત કરી હતી. જેમાંપ્રથમ ક્રમે જીનલ પટેલ (એસ.વાય. બી.કોમ), બીજા ક્રમે બીની પટેલ (ટી.વાય.બી.કોમ) અને ત્રીજા ક્રમે ગીતાંજલી ઝા (એસ.વાય.બી.કોમ) વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના સુંદર આયોજન બદલ સંસ્‍થા ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ, કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.શિતલ ગાંધી, ઈન્‍ચાર્જ આચાર્યા ડો.મિત્તલ શાહ અને ડો.અમી ઓઝાએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

Leave a Comment