Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

કેન્‍દ્ર સરકારના બંધારણ મુજબ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં બક્ષીપંચ જ્ઞાતિના લોકકલ્‍યાણ માટે તમામ પ્રકારના અભ્‍યાસ, નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 ટકા અનામતનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગુજરાત સિવાય અન્‍ય રાજ્‍યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27-ટકા અનામત પ્રતિનિધિત્‍વ લાભ મળી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જન સમૂહ સંખ્‍યાના આધારે લગભગ 52-ટકા વસ્‍તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અમારી અન્‍ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી જેથી ઓબીસી જ્ઞાતિની વસ્‍તીનાધોરણના આંકડાનું પુથ્‍થકરણ કરી રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યને તમામ સંસ્‍થાઓમાં તમામ પ્રકારના અભ્‍યાસ અને નોકરી સાથે વિધાનસભા લોકસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અનામત બેઠકો જાહેર કરી તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઓબીસી સમાજના ધવલ ગાંધી, મયંક પટેલ, ડી.બી.પટેલ, ડો.અશ્વિનભાઈ પટેલ, ધર્મેશભાઈ, સંજયભાઈ સમરોલી, નૈનેશ કાયસ્‍થ સહિતના આગેવાનો જોડાયા હતા.

Related posts

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment