Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

કેન્‍દ્ર સરકારના બંધારણ મુજબ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં બક્ષીપંચ જ્ઞાતિના લોકકલ્‍યાણ માટે તમામ પ્રકારના અભ્‍યાસ, નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 ટકા અનામતનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગુજરાત સિવાય અન્‍ય રાજ્‍યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27-ટકા અનામત પ્રતિનિધિત્‍વ લાભ મળી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જન સમૂહ સંખ્‍યાના આધારે લગભગ 52-ટકા વસ્‍તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અમારી અન્‍ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી જેથી ઓબીસી જ્ઞાતિની વસ્‍તીનાધોરણના આંકડાનું પુથ્‍થકરણ કરી રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યને તમામ સંસ્‍થાઓમાં તમામ પ્રકારના અભ્‍યાસ અને નોકરી સાથે વિધાનસભા લોકસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અનામત બેઠકો જાહેર કરી તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઓબીસી સમાજના ધવલ ગાંધી, મયંક પટેલ, ડી.બી.પટેલ, ડો.અશ્વિનભાઈ પટેલ, ધર્મેશભાઈ, સંજયભાઈ સમરોલી, નૈનેશ કાયસ્‍થ સહિતના આગેવાનો જોડાયા હતા.

Related posts

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં ઔર વધુ દમણની શાન અને સૂરત વધશે

vartmanpravah

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment