Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના નરોલી ગામે ત્રણ વર્ષ અગાઉ થયેલ હત્‍યાના ગુનામાં ડીસ્‍ટ્રીકટ કોર્ટ સેલવાસમાં એક આરોપીને દોષી જાહેર કર્યો છે. અદાલતે આરોપી સોનુ પુરષોતમ સિંહને આજીવન કારાવાસ અને 15 હજાર રૂપિયાની જમાનતની સજા સંભળાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે 12ઓગસ્‍ટ, 2019નારોજ મોડી રાત્રે એક મહિલાની લાશ મળી હતી. મહિલાની ઓળખ સોનમ સિંહ (ઉ.વ.27) તરીકે થઈ હતી જે એના પતિ સોનુ પુરષોતમ સિંહ અને એક બાળક સાથે મહેન્‍દ્રસિંહ સોલંકીની ચાલ નરોલીમાં રહેતી હતી. 12ઓગસ્‍ટના રોજ એ મહિલાની હત્‍યા કરાયેલ અવસ્‍થામાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં નરોલી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી અનિલ ટી.કે. અને એમની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ પિં્રસ મોહનસિંહ ચૌહાણ રહેવાસી નરોલી, મૂળ રહેવાસી ભરતપુર-રાજસ્‍થાન જેઓએ એમના બનેવી સોનુ વિરુદ્ધ હત્‍યાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે નરોલી પોલીસે 13 ઓગસ્‍ટ, 2019ના રોજ આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સેલવાસ કોર્ટના સરકારી વકીલ ગોવર્ધન પુરોહિતની દલીલને ગ્રાહ્ય રાખી અને પુરાવાઓને આધારે આરોપી સોનુ પુરષોતમ સિંહને સોનમની હત્‍યાનો દોષી માની કલમ 302 મુજબ આજીવન કારાવાસ અને રૂા.15 હજારના અર્થદંડની સજા ફટકારી છે.

Related posts

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment