લાખોના ખર્ચે બનાવેલ શૌચાલય સંચાલકને પૈસા નહી મળતા બંધ કરી દીધુ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક સુલભ શૌચાલયની તાતી જરૂરીયાત હતી. હજારો લોકો માટે શૌચાલયની સુવિધા નહોતી તેથી એક વર્ષ પહેલા મુંબઈની એન.જી.ઓ. અને નોટિફાઈડ દ્વારા જાહેર સુલભ શૌચાલય કાર્યરત કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર છેલ્લા છ મહિનાથી આ સુલભ શૌચાલય સામાન્ય જનતા માટે અસુલભ બની શોબાનો ગાંઠીયો બની ગયેલ છે.
વાપી નોટિફાઈડ દ્વારા સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વાપી માટે જી.આઈ.ડી.સી.માં લોકકલ્યાણ વેલ્ફેર એસોસિએશન મુંબઈ નામની એન.જી.ઓ. દ્વારા સુલભ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનાગૃહ બનાવી કાર્યરત કરી દેવાનું હતું પરંતુ ન જાણે કેમ સાર-સંભાળના અભાવે અગર પૈસાની તકલીફ કે અન્ય કોઈ કારણોસર આ સુવિધા છ મહિનાથી અટકી પડી છે. બહારથી આવતા ટ્રક ડ્રાઈવરો, પ્રવાસીઓ માટે જરૂરી એવી આ સુવિધા લાખોના ખર્ચ બાદ પણ કેમ કાર્યરત નથી તેનો ઉત્તર નોટિફાઈડ જ આપી શકે?