October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. 10 કરોડના વિવિધ વિકાસ કામોનું નાણામંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

કાર્યક્રમમાં સત્તાધાર સોસાયટીના રહીશોએ સમસ્‍યાઓનો બળાપો ઠાલવ્‍યો, પાલિકા સત્તાધીશો છોભીલા પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી નગરપાલિકાના વિવિધ વિસ્‍તારોમાં જુદા જુદા 10 કરોડના વિકાસ કામોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્તના કાર્યક્રમ શનિવારના રોજ નગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ચલા સત્તાધાર સોસાયટીના રહીશોએ સ્‍થાનિક સમસ્‍યાનો બળાપો ઠાલવ્‍યો હતો.
વાપી નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ 10 કરોડના વિકાસ કાર્યોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વરસતા વરસાદમાં ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ડુંગરા આઝાદનગરમાં પીવાના પાણી અને અંડર ગ્રાઉન્‍ડ સંપ, સુલપડ કોળીવાડમાં લાઈનીંગ, કરસનજી પાર્કમાં હયાત ગટરને જોડતી આર.સી.સી. પાઈપલાઈન, સત્તાધાર સોસાયટીમાં આંતરિક રોડ અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સાઈટનું અપગ્રેડેશન જેવા કામોના ખાતમુહૂર્ત કરાયા હતા. સત્તાધાર સોસાયટીમાં રહીશોએ મહિલાઓએ કાસ બિસ્‍માર અને વરસાદ પાણી ઘરોમાં ભરાઈ જાય છે તેથી સત્તા પર ગટરો બનાવાની માંગ સાથે બળાપા સત્તાધારીઓ સામે ઠાલવ્‍યા. પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, ચીફ ઓફિસર જવાબ નહી આપી છોભીલા પડી ગયા હતા.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

Leave a Comment