June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગની ફોરેસ્‍ટ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન જંગલમાં હલચલ જોતા તપાસ કરતા એક વ્‍યક્‍તિ મરેલા મોર સાથે જોવા મળ્‍યો હતો. જેને ગલોન્‍ડા ફોરેસ્‍ટમાં ફોરેસ્‍ટર શ્રી સ્‍વપિ્નલ પટેલ અને શ્રી તેજસ પટેલે આરોપીને પકડી તેની પૂછપરછ કરતાં આરોપી નિલેશ જાદવ (ઉ.વ.38) રહેવાસી કપરાડા, જે એના કોઈક સગાંને ત્‍યાં રોકાયો હતો અને અહીં જંગલમાં ગિલોલ વડે મોરનો શિકાર કર્યો હોવાનું જણાવ્‍યું હતું. જેની વિરુદ્ધ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ 1972 સેક્‍શન 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપી નિલેશ જાદવને દાનહના આર.એફ.ઓ. શ્રી કિરણ પરમારે કોર્ટમાં રજૂ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમાં આવતુ હોવાને કારણે ગુનાની સજા 3 વર્ષ કે તેથી વધુ અને હાલમાં આરોપીને 14 દિવસની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે અને મૃત મોરનુંવનવિભાગ દ્વારા પોસ્‍ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment