October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

‘‘દાનહમાં ફક્‍ત પરિવારવાદની રાજનીતિ થઈ રહી હતી, પરિવારવાદમાં લોકો ફક્‍ત પોતાના પરિવારની બાબતમાં વિચારે છે અને વિકાસ પણ ફક્‍ત પોતાના પરિવારનો કરે છે, જ્‍યારે ભાજપ એટલે ભારતના લોકોની પાર્ટી”: ધર્મેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના યુનિટનું દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપમાં વિલીનીકરણ થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વહેતી થયેલી ખબરનો પણ અંત આવ્‍યો હતો.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે ખુબ જ સ્‍પષ્‍ટ રીતે જણાવ્‍યું હતું કે, નીતિશ કુમારથી માંડી પ્રદેશના નેતાઓએ કરેલી તકવાદની રાજનીતિના કારણે પ્રદેશને ખુબ મોટું નુકસાન પહોંચ્‍યું છે. તેમણે વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશની સાથે સાથે દરેકરાજ્‍યો અને પ્રદેશ પણ સલામત છે. કોરોના કાળ દરમિયાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલી પહેલના કારણે લોકોને મફત વેક્‍સિન મળવાની સાથે સાથે જરૂરિયાતમંદોને મફત અનાજનું વિતરણ પણ કરાયું છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરનાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય જનહિતમાં લીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ પ્રદેશમાં ફક્‍ત અને ફક્‍ત પરિવારવાદની રાજનીતિ થઈ રહી છે. પરિવારવાદમાં લોકો ફક્‍ત પોતાના પરિવારનું વિચારે છે અને વિકાસ પણ ફક્‍ત પોતાના પરિવારનો કરાય છે. તેથી આવતા દિવસોમાં આપણે ભાજપ સાથે જોડાવાનો લીધેલો નિર્ણય યથાયોગ્‍ય હોવાનું સમજાશે એવી સીધી વાત પણ કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, મોદીજી અને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાના નેતૃત્‍વમાં કેન્‍દ્ર, પ્રદેશ અને જિલ્લા પંચાયતમાં વિકાસનું ત્રિપ્‍પલ એન્‍જિન હવે દોડશે.
પ્રારંભમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ(યુ)ના યુનિટના પ્રમુખ સહિત હોદ્દેદારોને ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ તરીકે શ્રી ધર્મેશસિંહ ચૌહાણની નિયુક્‍તિનો પત્ર પણ આપ્‍યો હતો અને તેમને શુભકામના પણ પાઠવી હતી.

Related posts

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય સમુદ્રતટ સફાઈ દિવસના ઉપલક્ષમાં દમણના સમુદ્ર તટ ઉપર સ્‍વચ્‍છતા માટે ઉમટેલો માનવ મહેરામણઃ લોકોએ બતાવેલી સ્‍વયંભૂ જાગૃતિ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

Leave a Comment