Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 13/09/2022 ના રોજ “Improving Public Speaking Skills and Personality Development”ના વિષય ઉપર ગેસ્‍ટ લેકચરનું આયોજન થયું હતું. જેમાં વાપીની રોફેલ ગ્રિમ્‍સ કેમ્‍પસના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડૉ.નિધિ યાદવ મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્‍વ અને માર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી તોહા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. ડૉ.નિધિ યાદવએ આ વિષયના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રોપર પ્‍લાનિંગ અને પ્રેઝેન્‍ટેશનથી કોઈ પણ વિષય લોકો સમક્ષ કઈ રીતે સરળતાથી રજુ કરી શકાય એ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત આ વિષયને ધ્‍યાનમાં રાખીને પર્સનાલિટી ડેવલપમેન્‍ટ માટેના અહમ મુદ્દાઓ જેવા કે આત્‍મવિશ્વાસ, બોડી લેંગ્‍વેજ, ડ્રેસીંગ સ્‍ટાઈલ, લોકો સાથે વાતચીત દરમ્‍યાન તમારો ભાષાકીય સ્‍વર તથા વિવિધ વિષયો ઉપર ઊંડાણ પૂર્વક વિસ્‍તૃત રસપ્રદમાહિતી આપી વિદ્યાર્થીઓને ઉજાગર કર્યા હતા. આ ઉપરાંત પ્રેઝેન્‍ટેશન દરમ્‍યાન ધ્‍યાનમાં રાખવામાં આવતા મહત્‍વના મુદ્દાઓ જેવા કે જુદીજુદી પ્રેઝેન્‍ટેશન ટેકનીક તથા પર્સનાલિટી ડેવલપમેન્‍ટ માટે ‘‘શું કરવું” અને ‘‘શું ન કરવું” જેવા પાસાઓ ઉપર પ્રકાશ પાડ્‍યો હતો. આ ઉપરાંત કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓને ધ્‍યાનમાં રાખીને પ્‍લેસમેન્‍ટ દરમ્‍યાન એમ્‍પ્‍લોયરની સમક્ષ પોતાને કઈ રીતે રજુ કરવું તે જણાવ્‍યુ હતું. સંસ્‍થાના પૂજ્‍ય રામ સ્‍વામીજીએ વિદ્યાર્થીઓને વ્‍યક્‍તિમાં રહેલી 64 સ્‍કીલ વિશે જણાવ્‍યું હતું તેમજ મોટીવેશન માટે કહ્યું હતુ કે જિંદગીમાં જેટલી તકલીફો, તેટલા તમે આત્‍મવિશ્વાસી તને એટલીજ તમારી પર્સનાલિટી ડેવલોપ થશે. આ સમગ્ર કાર્યક્રમનું શાબ્‍દિક સંચાલન આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી શિવાની જી. ગાંધી તેમજ આ કાર્યક્રમને સફળ બનવવા માટે શરૂઆતથી અંત સુધી કોલેજના અસોસિએટ પ્રોફેસર ડૉ.અનુરાધા પી. પ્રજાપતિનું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમના અંતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી તોહા પટેલએ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

Leave a Comment