April 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ખાતે નારી સંરક્ષણ કેન્‍દ્ર/ગૃહોમાં પિડીત બહેનોને આશ્રય આપવામાં આવે છે. અને તેઓને પુનઃસ્‍થાપન કરવાની માનવતાનું કામ કરવામાં આવે છે.
જલાલપોર પોલીસ સ્‍ટેશન અને 181 અભયમ મહિલા હેલ્‍પલાઇન ટીમ દ્વારા વર્ષ-2019માં એક મૂકબધિર અને માનસિક અસ્‍થિર મગજની અજાણી બહેનને નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ, ચીખલી ખાતે આશ્રય આપવામાં આવ્‍યો હતો.
ખુંધ નારી સંરક્ષણ કેન્‍દ્રના મેનેજર ભાવિનાબેન અને તેમનીટીમ દ્વારા મૂકબધિર બહેનને ઘરના એક પરિવારની જેમ દેખરેખ રાખી હતી. મૂકબધિર બહેનને ખૂબ જ પ્રેમથી તેનું નામ જાણવા પ્રયત્‍ન કર્યો હતો. ધીમે ધીમે મૂકબિધર બહેન સ્‍વસ્‍થ થતાં તેઓએ પોતાનું નામ પુષ્‍પાબેન રમણભાઈ પટેલ લખીને જણાવ્‍યું હતું. બહેને પોતાનું નામ લખી બતાવતાં નારી સંરક્ષણ કેન્‍દ્રની ટીમને એક આશાનું કિરણ મળી ગયું. ત્‍યારબાદ બહેનના આધારકાર્ડની પ્રક્રિયામાં ડી-ડુપ્‍લીકેશન માટે બાયોમેટ્રિક દરમિયાન બહેન આણંદ જિલ્લાના ખાંધલી ગામની વતની હોવાનું જાણવા મળ્‍યું હતું. ટીમ દ્વારા ખાંધલી ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી બહેન વિશે જાણકારી મેળવી અને તેમની માતા જોડે વાતચીત કરી ખાત્રી કરી હતી.
ખુંધ નારી સંરક્ષણ કેન્‍દ્રની ટીમ દ્વારા આગળની કાર્યવાહી અર્થે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ મંજૂરી લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીની મંજૂરી મળ્‍યા બાદ તમામ આધાર પુરાવા લઈને મૂકબધિર બહેનને તેમની માતા મંજુલાબેન રમણભાઇ પટેલને તા. 12/09/2022 ના રોજ સોંપવામાં આવી હતી. પોતાની ખોવાયેલી પુત્રી પરત મળતાં બહેનના કુટુંબમાં આનંદની લાગણી ફેલાઇ હતી. માતા અને તેમના પરિવારે નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ તેમજ જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માન્‍યો હતો.

Related posts

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલ અત્‍યાચારને બંધ કરાવવા હિન્‍દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્‍ટરને સોંપાયું આવેદન પત્ર

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિકશાળામાં વન ઔષધી વનસ્‍પતિનું પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારીના હસ્‍તે ખુલ્લું મુકાયું

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment