September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને નદીમા ઝંપલાવતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું. કિરણ નાતરે (ઉ.વ.22) રહેવાસી વાંસદા મૂળગામ જે સાયલી ગામે શોરૂમમાં નોકરી કરતો હતો જેને એક છોકરી સાથે પ્રેમ હતો પરંતુ એના પરિવારવાળાઓએ સગાઈ કરવાની ના પાડી દેતા તેને માઠું લાગી આવતા બુધવારના રોજ બપોરે દોઢ વાગ્‍યાના સુમારે રખોલી ગામે દમણગંગા નદી પુલ પરથી નીચે ઝંપલાવી દેતા યુવાન સીધો પથ્‍થરવાળી જગ્‍યા પર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્‍થળ પર જ એનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી હતી અને યુવાનના ઓળખપત્રના આધારે પરિવારની ઓળખ થઈ હતી. પોલીસે યુવાનની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રખોલી અને નરોલી દમણગંગા નદી પુલ પરથી વારંવાર આત્‍મહત્‍યાની ઘટના બની રહી છે જેને અટકાવવા માટે નદીના પુલની આજુબાજુ જાળીઓ લગાવવા કેટલી વખત માંગ કરવામાં આવી છે. તેથી હવે એ કામ જરૂરી બની જવા પામ્‍યું છે. રખોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment