December 1, 2025
Vartman Pravah
Other

વાપીને વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનનું સ્‍ટોપેજ મળશે : રેલ મંત્રીએ ગ્રીન સિગ્નલ આપ્‍યું

પેટા
વાપીમાં ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ વી.આઈ.એ. ઝેડ આર.યુ.સી.સી. સભ્‍ય, નાણા મંત્રી અને સી.આર. પાટીલને રજૂઆત થઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
તાજેતરમાંપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્‍યો હતો. આ ટ્રેન ફક્‍ત અમદાવાદ, વડોદરા, સુરતના જ સ્‍ટોપેજ હતા પરંતુ ટ્રેન કાર્યરત થાય તે પહેલાંથી જ વાપીના આગેવાનો ઉદ્યોગપતિઓ, વી.આઈ.એ. અને ઝેડ.આર. યુ.સી.સી. સભ્‍ય તરફથી વાપી સ્‍ટોપેજ અંગે દબાણથી માંગણી કરી હતી. જેની રજૂઆત રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવ સુધી પ્રભાવિત થઈ હતી અને વાપીને વંદે ભારત ટ્રેનની સ્‍ટોપેજની રેલમંત્રીએ લીલી ઝંડી આપી દીધી છે.
વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સુધીની અંતર માત્ર 5:30 કલાકમાં કાપતી સુપરફાસ્‍ટ ટ્રેન છે. વાપી, સેલવાસ, દમણ વિસ્‍તારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ માટે આ ટ્રેન અતિ ઉપયોગી બની રહે તે માટે વાપી સ્‍ટોપેજની જાહેર માંગ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ થઈ ચૂકી હતી. તથા ઝેડયુઆરસી.સી.ના સભ્‍ય જોમ કોઠારી લેખિત રજૂઆત કરી હતી. તમામ બાબતો ધ્‍યાને લઈ રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવે વંદે ભારત ટ્રેનનું વાપી સ્‍ટોપેજ મંજૂર કરી લીલી ઝંડી આપી છે. ટૂંકમાં આ ટ્રેન વાપી સ્‍ટોપેજ કરશે તેથી વાપી અને સંઘપ્રદેશના 26 હજાર ઉપરાંત ઉદ્યોગોને ફાયદો થશે.

Related posts

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment