Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલી અને દમણ દીવ વનવિભાગ દ્વારા 02ઓક્‍ટોબરથી “વન્‍યજીવ સપ્તાહ”નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જે સંદર્ભે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ધોરણ 6થી 9ના સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થિત વનવિભાગના અધિકારી અને શાળાના આચાર્યશ્રીના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને “વન્‍યજીવ સપ્તાહ”ના અંતિમ દિવસે પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવશે. આ અવસરે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

Leave a Comment