December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ,તા.18 : એનીમલ હેલ્‍પલાઈન દ્વારા અષાઢી બીજે તા.20, જૂન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.03 જુલાઈ, સોમવારનાં રોજ તથા હિન્‍દુઓના તમામ ધાર્મિક તહેવારો નિમિત્તે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્‍ધા સાથે ધામધૂમે ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્‍છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા હોય છે તથા તા.03 જુલાઈ, સોમવારે ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસે કતલખાનાં, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે. ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ પર બધા જ ધર્મનાં લોકોની જુદી જુદી રીતે ઉજવાતો હોય છે. આ બધાયમાં એક સમાન વસ્‍તુ કહી શકાય તે એવી તે બધા એક સાથે માને છે અને પૂજે છે તે છે ગુરૂ કોઈપણ હોય શકે સંત, મહાત્‍મા કે કોઈના ફાધર કે કોઈ એક સાધારણ શાખા કે કોલેજમાં ભણાવતા કોઈપણ ગુરૂ જ હોય છે. શાળા એકએવી પહેલી જગ્‍યા છે જ્‍યાં એક બાળક તેમના જીવનમાં પહેલી વખત ગુરૂના સંપર્કમાં આવે છે, અને ગુરૂ તેમને તેમનાં જીવનનો પવિત્ર ઉપદેશ આપે છે.
ઉપરોકત બન્ને દિવસો તથા તમામ ધાર્મિક તહેવારોની પવિત્રતા અને સમસ્‍ત જન પરીવારોની આસ્‍થાને ધ્‍યાનમાં લઈને સમાજની લાગણી ન દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્‍છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્‍ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના એડવાઈઝરી કમિટીના માનદ્‌ સલાહકાર શ્રી મિતલ ખેતાણી, એનીમલ હેલ્‍પલાઈનનાં શ્રી પ્રતીક સંઘાણી, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ધીરૂભાઈ કાનાબાર, શ્રી ઘનશ્‍યામભાઈ ઠક્કર, એડવોકેટ શ્રી કમલેશભાઈ શાહ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિષ્‍ણુભાઈ ભરાડ, શ્રી ગૌરાંગ રમેશભાઈ ઠક્કર અને શ્રી પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે.

Related posts

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

કોવિડ-19ના રોકથામ હેતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકામાં કૌટુંબિક પરણિત કાકાએ 19 વર્ષિય યુવતિ સાથે સતત એક વર્ષ દુષ્‍કર્મ આચર્યું : આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment