Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: આગામી તા.15 ઓક્‍ટોબરનાં રોજ નવસારી જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજ રોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍ય્‍ક્ષસ્‍થાને યોજાઈ હતી .આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓને લાભાર્થીઓની વ્‍યવસ્‍થા, સાધન સહાયની વિગત, ડેટા એન્‍ટ્રી સમયસર થઈ જાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
નવસારીજિલ્લામાં ગરીબ કલ્‍યાણ મેળો ચીખલી તાલુકાના શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી, સુરખાઇ ખાતે તા.15/10/2022 ના રોજ આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર છે. ગરીબ કલ્‍યાણ મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે જોવા ખાસ ભાર મુકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરે દરેક અમલીકરણ અધિકારીઓએ પોતાને સોપાયેલી કામગીરી જવાબદારીપૂર્વક નિભાવીને આયોજનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો .
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્રષ્ટિ શુકલા, શ્રીમતી સીતાબેન પટેલ સહિત જિલ્લા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment