April 20, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

બીજી તરફ માંગણી માટે વલસાડ આશ્રમ શાળાના કર્મચારીઓએ સી.બી. દેસાઈ હાઈસ્‍કૂલના મેદાનમાં પ્રતિક ધરણા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં આંદોલનની ભરપુર સિઝન ચાલી રહી છે. વિવિધ યુનિયન, તબીબો, એસ.ટી. કર્મચારી, શિક્ષકો, રેવન્‍યુકર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ ઉપર સરકાર સામે આંદોલનનો મોરચો કરી રહ્યા છે તે અંતર્ગત આજે વલસાડમાં બે-બે આંદોલનની સમાંતર ઘટનાઓ ઘટી હતી. આશાવર્કર અને ફેસેલીટર બહેનો હડતાલ ઉપર ઉતરી હતી તો બીજી તરફ જિલ્લા આશ્રમ શાળાના કર્મચારીઓએ પણ પ્રતિક ધરણા કરી માંગણીઓ માટે દેખાવો યોજ્‍યા હતા.
વલસાડ જિલ્લા પંચાયત પાસે મહિલા શક્‍તિ સેનાના નેજા હેઠળ આશાવર્કર બહેનો અને ફેસેલીટર બહેનો તેમની પડતર માંગણીઓ માટે જિલ્લા પંચાયત નજીક અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી હતી. તેમની મુખ્‍ય માંગણીઓમાં ફીક્‍સ પગાર અને લઘુત્તમ વેતનની છે. સાથે સાથે આજે તેમણે ચિમકી પણ ઉચ્‍ચારી હતી કે હોસ્‍પિટલોમાં કોઈ બાબત બને તેની અમારી જવાબદારી રહેશે નહીં, તે પ્રમાણે વલસાડ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ સી.બી. હાઈસ્‍કૂલના મેદાનમાં રાજ્‍ય સ્‍તરના આંદોલનને ટેકો આપવા તેમજ પડતર માંગણીઓના સમાધાન નિકાલ માટે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

Related posts

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

Leave a Comment