April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકામાં અઠવાડિયા પહેલા પાછોતરા વરસાદના કારણે ડાંગર ટામેટા રીંગણ સહિત શાકભાજીના મહામૂલો પાકને નુકસાન થતાં સામી દિવાળીએ ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ખરા સમયે મહામૂલો પાક જમીનદોસ્‍ત થવા પામતા ડાંગરના પાકમાં પણ મોટું નુકસાન વેચવાનો સમય આવતા ખેડૂતોનો દિવાળીના દિવસો પાઇમાલી તરફ ધકેલાવા પામ્‍યા છે.
ચીખલી તાલુકામાં નવરાત્રીના દિવસોમાં થયેલા પાછોતર વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્‍યું છે જેમાં ખાસ કરીને રીંગણ અને ટામેટાના છોડ કે જેના ઉપર રીંગણ ટામેટા લાગવાની તૈયારીમાં હતા અને છોડ ઉપર ફૂલ પડવા પામ્‍યા હતા અને ટૂંકા ગાળામાં જ છોડ ઉપરથી લણવાનો તૈયાર થાય એવી સ્‍થિતિમાં હતો એ જ સમયે વરસાદ પડતા વરસાદનું પાણી છોડના મૂળમાં લાગી જતા આખે આખા છોડ જ મુરઝાઈને મરી જતા મહા મહેનતે તૈયાર કરવામાં આવેલ પાક મરી જતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. ખેડાણ, ખાતર, પાણી બિયારણનો ખર્ચ પણ માથે પડયો હતો. વરસાદને પગલે ડાંગરનો પાક ખેતરમાં જ ઢળી પડતા જે પાકમાં ખેતરની ભીની માટી(કાદવ) લાગી જવા સાથે ડાંગરના દાણા બગડી જવાની નોબત આવતા ડાંગરના પાકને પણ પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી. વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનમાં ખેતીવાડી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડુતોમાં ભારે રોષ ફેલાવા પામ્‍યો હતો.
ખૂંધ ગામના ખેડૂત મગનભાઈ પટેલના જણાવ્‍યાનુસાર શાકભાજીના પાકમાં ટામેટા અને રીંગણના છોડ માવજત કરતા ખૂબ જ સરસ થયા હતા. પરંતુ પાછોતરા વરસાદથી રીંગણ ટામેટાના છોડમાં પાણી લાગતા કેટલાક છોડો મુરજાઈને મરી જતા ખેડૂતોને મોટું નુકસાન થતા દિવાળીના દિવસો બગડતા ભારે મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. જ્‍યારે સરકારે પાકની વળતર બાબતે વિચારણા કરવી જોઈએ.

Related posts

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍યો મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સક્રિય થયા

vartmanpravah

Leave a Comment