October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

ક્ષેત્રિય પરિવહન અધિકારી બિપિન પવારે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નીતિ-નિયમો અને પરિવહન સેવા દરમિયાન લેવાનારી કાળજીની આપેલી સમજ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદ અનેશિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ પરિવહન વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજની પરિવહન સુવિધાની બાબતમાં વિદ્યાર્થીઓને જાણકારી આપી તેમનામાં જાગૃતિ પેદા કરવા માટે સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ દમણમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગના સૌજન્‍યથી જિલ્લા સ્‍તર ઉપર આયોજીત આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓને સ્‍કૂલો દ્વારા પ્રદાન કરવાવાળી પરિવહન સુવિધાઓની બાબતમાં વિસ્‍તૃતથી જાણકારી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના હિતો અને તેમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી આયોજીત કરાયેલ આ કાર્યશાળાના ઉદ્‌ઘાટન સત્રમાં પોતાના વિચાર વ્‍યક્‍ત કરતા ક્ષેત્રિય પરિવહન અધિકારી શ્રી બિપિન પવારે જણાવ્‍યું હતું કે, સુવિધાનો લાભ સાચા અર્થમાં ત્‍યારે જ ઉઠાવી શકાય છે જ્‍યારે આપણને તેની બાબતમાં પુરી જાણકારી હોય. તેથી આજે આયોજીત કાર્યશાળાનું તેમણે મહત્‍વ પણ સમજાવ્‍યું હતું.
ક્ષેત્રિય પરિવહન અધિકારી શ્રી બિપિન પવારે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનની સહાયતાથી વિદ્યાર્થીઓને સમજાવતા સ્‍કૂલ દ્વારા પરિવહનની જે સુવિધા આપવામાં આવી રહી છે તેનો દરેક વિદ્યાર્થીઓએ પુરી સતર્કતાથી લાભ ઉઠાવવા જણાવ્‍યું હતું. તેમણે સ્‍કૂલોને પણ તાકિદ કરી હતી કે તેમના દ્વારા પુરીપાડવામાં આવતી પરિવહનની સુવિધા નિયમ મુજબ રહે તેની તકેદારી રાખવામાં આવે. પરિવહન વાહનોમાં સાફ-સફાઈ, ડ્રાઈવરોને યોગ્‍ય માર્ગદર્શન, સમય સમય પર તેમની મેડિકલ તપાસ વગેરે ફરજીયાત રીતે કરાવવા પણ નિર્દેશ આપ્‍યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા પી.આઈ. શ્રી કે.બી.મહાજને પોતાના વિચારો રજૂ કરતા જણાવ્‍યું હતું કે, પોલીસ પ્રશાસન જનતાની ભલાઈ અને તેમની સુરક્ષા માટે છે. સ્‍કૂલના ડ્રાઈવરોની સાથે સાથે બાળકો પણ પરિવહન નિયમોનું પાલન કરી દેશના એક સારા નાગરિકનું કર્તવ્‍ય નિભાવે. તેમણે જણાવ્‍યું હતું કે જો આપણે પરિવહન નિયમોનું યોગ્‍ય રીતે પાલન કરીશું તો નિヘતિ રૂપથી સુરક્ષિત રહીશું.
આ કાર્યશાળામાં પોલીસ વિભાગ, પરિવહન વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે મોટી સંખ્‍યામાં એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment