September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

કાર્યશાળા યોજવાનો હેતુ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય,મુંબઈ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક કાર્યશાળાનું આયોજન, સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે આવતી કાલ તા. 18મી ઓક્‍ટોબરના રોજ સવારે 11:00 વાગ્‍યાથી બપોરના 1:00 વાગ્‍યા દરમ્‍યાન આયોજીત કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વધુ વિસ્‍તાર કરવા અને લોકોમાં આધાર પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા દાનહના સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ખાતે એક કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યશાળામાં દરેક સચિવ, સંયુક્‍ત સચિવ, નિર્દેશકો અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે.

Related posts

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

Leave a Comment