April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ વિજકંપનીના સબ ડિવિઝનના તાબામાં આવેલ ઘેજ ગામના ગોડાઉન ફળીયા પાસે મુખ્‍યમાર્ગ સ્‍થિત ત્રણ રસ્‍તાના જંકશન પાસે લાંબા સમયથી જીવંત વિજલાઈન ઝોલા ખાઈ રહી હતી. આ સ્‍થળે શેરડી ભરેલ ટ્રકો જીવંત વીજતારને ટેકાથી ઊંચકીને જોખમી સ્‍થિતિમાં શેરડી ભરેલી ટ્રકો પસાર કરવાની નોબત આવી હતી. અને સતત જાનહાનીનું જોખમ ટોળાઈ રહ્યું હતું. અને સ્‍થાનિકોની અવાર નવારની રજૂઆત બાદ પણ ખેરગામ વિજકંપનીની કચેરીના અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવાઈ ન હતી.
આ અંગે સ્‍થાનિક તાલુકા પંચાયત સભ્‍ય ધર્મેશભાઈ દ્વારા વીજકંપનીના કાર્યપાલક ઈજનેરનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. અને આ અંગેના અખબારમાં પણ અહેવાલ પ્રસિધ્‍ધ થતા સાથે જ કાર્યપાલક ઈજનેર સ્‍વાતિબેન દ્વારા સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ ખેરગામ પેટા કચેરીના નાયબ ઈજનેરને સૂચના આપતા મંગળવારના રોજ ઘેજ ગામના ગોડાઉન ફળીયા પાસે યુધ્‍ધના ધોરણે ઝોલા ખાતીવિજલાઈનને સરખી કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવતા સ્‍થાનિકો આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ગોડાઉન ફળીયા પાસે મરામત માટે 10-15 દિવસ લાગશે ની પીપુડી વગાડનાર ખેરગામના નાયબ ઈજનેરને અખબારી રહેવાલ બાદ ગંભીરતા દાખવવાની ફરજ પડી હતી.

Related posts

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

Leave a Comment