July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

દમણગંગા કેનાલ સબ ડિવિ. ઓફીસની પાસે જૂની કોર્ટ પાસેની જમીન પરથી હંગામી ડેપો સંચાલન કરવાની ચાલી રહેલી વિચારણા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આગામી ટૂંક સમયમાં વાપીનો હયાત રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્‍વંશ કરીને તેની જગ્‍યાએ નવિન એફ.ઓ.બી. બનાવવાની ગતિવિધિ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્‍યારે મહત્ત્વની સમસ્‍યા સાથે સાથે એ પણ ઉભી થવા જઈ રહી છે કે તો વાપી એસ.ટી ડેપોનું શું? જો કે સરકારની લાગણી વળગતી તમામ એજન્‍સીઓ આ બાબત અંગે વિવિધ સ્‍થળ નિરીક્ષણ અને સંકલનની રૂપરેખાને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે તે મુજબ બલીઠા-ને.હા. ઉપર હંગામી ધોરણે બસ ડેપોનું સંચાલન કરવામાં આવશે.
વાપી આર.ઓ.બી.ની કામગીરી શરૂ થવાની સાથે જ એસ.ટી.બસોની હયાત ડેપોની અવરજવર બંધ કરવી જ પડે તે માટે બલીઠા નજીક ને.હા. ટચ એવી દમણગંગા કેનાલ સબ ડિવિ. નં.06 વાપી ઓફિસ બાજુમાં સ્‍થિત જુની કોર્ટ બિલ્‍ડીંગવાળી જગ્‍યા પૈકી 6 હજાર ચો.મીટર જગ્‍યા હંગામી બસ સ્‍ટેશન માટે આઈડેન્‍ટીફાઈડ કરાઈ છે. ટેમ્‍પરરી વ્‍યવસ્‍થા માટે અનુકુળ જણાઈ છે. જો કે ટેમ્‍પરરી બસ સ્‍ટેન્‍ડ કાર્યરત થાય તે પહેલાં લેન્‍ડ હાઉસીંગ, પાણી બોર, ટોયલેટ, સેપ્‍ટીક ટેન્‍ક જેવી સુવિધાઓ પણ ઉભી કરવાની થાય છે તેથી જિલ્લાની જાહેર બાંધકામ વિભાગ સહિતની અન્‍ય એજન્‍સીઓ દ્વારા નવી કામગીરી અંગે ચક્રો ગતિમાન કરાશે તેવું જાણવા મળ્‍યું છે.

Related posts

વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ યુવા ઉત્‍સવમાં ઝળકયા

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

Leave a Comment