Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ રૂચિકા કાત્‍યાલે સેલવાસ ખાતે માનસિકઆરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો કરાવેલો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે આજે સેલવાસ ખાતે 108 કાર્યાલયમાં માનસિક આરોગ્‍ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો આરંભ કર્યો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે.
ભારત સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક આરોગ્‍યના સંકટનો સ્‍વીકાર કરી એક ડિજિટલ માનસિક આરોગ્‍ય નેટવર્ક સ્‍થાપિત કરવા 2022-23ના બજેટમાં રાષ્‍ટ્રીય ટેલી માનસિક આરોગ્‍ય કાર્યક્રમ (એનટીએમએચપી)ની ઘોષણા કરી હતી. કેન્‍દ્ર સરકારનું લક્ષ પ્રત્‍યેક રાજ્‍ય/સંઘપ્રદેશમાં ઓછામાં ઓછું એક ટેલી માનસ પ્રકોષ્‍ઠ સ્‍થાપિત કરવાનું છે. જેથી દૂરના ઊંડાણના લોકોને પણ 24 કલાક મફત માનસિક આરોગ્‍ય સેવા મળી શકે.
અત્રે નોંધનીય છે કે, કોવિડ બાદ દેશમાં વધેલા માનસિક અવસાદને દૂર કરવા માટે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયની પહેલ ઉપર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે ટેલી માનસ સેવા પ્રારંભ કરી છે. જેના અંતર્ગત 24×7 ટેલી કન્‍સલ્‍ટેશન સેવાઓ મફત આપવામાં આવશે. સંઘપ્રદેશના નાગરિકો હવે ઘરબેઠાં અનેક્‍યાંયથી પણ માર્ગદર્શન લઈ શકશે.
આ પ્રસંગે આરોગ્‍ય સચિવ શ્રીમતી રૂચિકા કાત્‍યાલે જણાવ્‍યું હતું કે, જો તમને અથવા તમારી આસપાસના કોઈ વ્‍યક્‍તિને માનસિક આરોગ્‍ય સંબંધિ પરામર્શ, માદક દ્રવ્‍યોના સેવનની સમસ્‍યાથી છૂટકારો, દંપત્તિ અને પારિવારીક ઝઘડાના સંદર્ભમાં, મુશ્‍કેલ પરિસ્‍થિતિ તથા આત્‍મહત્‍યાના વિચારો કે આક્રમકતાને સંભાળવા, દુઃખ અને આફતને સંભાળવા તથા ઉંઘ અને અશાંતિની સમસ્‍યા હોય તો ટોલ ફ્રી નંબર 1800-891-4400/14416 ઉપર ભારતમાં ક્‍યાંયથી પણ કોઈપણ સમયે કોલ કરી શકો છો.
આ કાર્યક્રમમાં આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસ, માનસિક આરોગ્‍યના સ્‍ટેટ પ્રોગ્રામ અધિકારી ડો. મેઘલ શાહ, મનોચિકિત્‍સા વિભાગના ડોક્‍ટર, મનોચિત્‍સિક કાઉન્‍સેલર તથા મેન્‍ટલ હેલ્‍થ પ્રોગ્રામની ટીમના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મોદી સરકારના શાસન દરમિયાન દેશ, પ્રદેશ અને દુનિયામાં હવે આપણો સમય શરૂ થયો છેઃ ભારતનો સમય શરૂ થયો છેઃ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

પારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્‍માત

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

Leave a Comment