April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

નવિન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 30 ઓક્‍ટો. 2021માં થઈ ચૂક્‍યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીનો અતિ મહત્‍વાકાંક્ષી લેખાવાતા નવો રેલવે ફલાય ઓવરબ્રિજ બનવાના ચક્રો એક પછી એક ગતિમાન થઈ ચૂક્‍યા છે. જુના બ્રિજને પાડી નાખી નવો બ્રિજ રૂા.141 કરોડના ખર્ચે ઈમરાનનગરથી ગોલ્‍ડકોઈન સર્કલ સુધી બનશે. રેલવે કોરીડોર માટે બ્રિજની હાઈટ ઓછી હોવાથી જુનો બ્રિજ પાડી નવો બ્રિજ બનાવવાનો સૈધ્‍ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્‍યો છે અને ટૂંક સમયમાં હવે તેની કામગીરી હાથ ધરાવવી શરૂ થઈ ચૂકી છે. નવિન પુલની જમીન સંપાદન કરવા હેતુ નડતર રૂપ 200 જેટલા દબાણ કર્તાઓને નોટિસો અપાઈ ચૂકી છે. ભવિષ્‍યની ટ્રાફિક સમસ્‍યા સંપૂર્ણ હલ કરવા હેતુ નવિન બ્રિજ ફોર લાઈન બનવાનો છે.
વાપીનો નવા રેલવે ફલાય ઓવરબ્રિજ 141 કરોડને ખર્ચે બનનાર છે તે માટે ગત તા.30 ઓક્‍ટોબર 2021ના રોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થઈ ચૂક્‍યું છે. પરંતુ અતિ જટીલ ગણાતીઆ કામગીરી વચ્‍ચે અવરોધ બનતા પરિબળોને હલ કરવામાં સમય વ્‍યતિત થઈ ચૂક્‍યો છે. જેમાં રેલવેની મંજુરી, પુલ તુટયા પછી ટ્રાફિકની અવરજવર કારણ કે વાપી-પૂર્વ પヘમિને જોડતો આ એકમાત્ર પુલ તૂટી જાય તો વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી પણ જરૂરી હતી. તે માટે જુના રેલવે ફાટકનું નવિનિકરણ કરી દેવાયું છે અને જેવી પુલ તોડવાની કામગીરી શરૂ થશે કે તુરંત જ ફાટક કાર્યરત થઈ જશે. એસ.ટી. ડેપો વાપીનું સ્‍થળાંતર પણ મોટો પ્રશ્ન હતો તે હલ થઈ ચૂક્‍યો છે. બલીઠા હાઈવે ઉપર કામચલાઉ ડેપો કાર્યરત કરાશે. ટૂંકમાં અનેક અડચણ રૂપ કે જરૂરી તમામ કાર્યવાહીઓ પૂર્ણ થઈ ચુકી છે કે થવાના આરે છે તેથી ટૂંક સમયમાં નવિન રેલવે પુલ બનાવવાની કામગીરી જોરશોરથી આરંભાઈ જશે.

Related posts

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

દમણમાં શુક્રવારથી ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો થનારો પ્રારંભ : ઉત્તર ભારતીયોમાં થનગનાટ: 27મી માર્ચે યોજાનારી ફાઈનલ મેચ

vartmanpravah

Leave a Comment