July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી, તા.19: નવસારી જિલ્લા ચુંટણી શાખા દ્વારા સ્વીપઅંતર્ગત મતદાન જાગૃતિ માટે નવસારી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો અવિરત ચાલી રહ્યા છે તેમજ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે શાળાકક્ષાએથી વિદ્યાર્થીઓના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ પુર્ણ કરવામાં આવી રહી છે. હજુ પણ મતદારો વધુ સજાગ બને અને વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના ઇનોવેટીવ કાર્યક્રમ તરીકે જિલ્લાની વિવિધ કચેરીઓમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સમૂહમાં રંગોળી કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં જીલ્લાની વિવિધ શાળાઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે  રંગોળીપૂરણ  કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા નિવાસી અધિકારીશ્રી,ચૂંટણી અધિકારીશ્રી તેમજ જિલ્લા નોડેલ અધિકારી (સ્વીપ) અને જિલ્લા શિક્ષણાધિકારીએ કળાપ્રવૃત્તિ કરનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

Leave a Comment