September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુભાઈ ચૌહાણે પ્રદેશના વિવિધ વિકાસના કામોની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સરકારના સફળ 8 વર્ષ સંપન્ન થવાના અવસર પર ભાજપા દ્વારા દેશભરમાં સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે ભારતસરકારના કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે પધાર્યા છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે મંત્રીશ્રીનું દમણગંગા સર્કીટ હાઉસ ખાતે પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશના વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી હતી, સાથે ગામડાઓમાં જઈ ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી અને સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ પર્વ સંદર્ભે લોકોને જાણકારી આપી હતી. આ અવસરે મંત્રી શ્રી દેવુસિંહ સાથે કલેક્‍ટર શ્રી રાકેશ મિન્‍હાસ, આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

vartmanpravah

દાનહ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ : આરોપીઓ પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment