April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: આજે જલારામ બાપ્‍પાની 223મી જયંતિ નિમિતે દાદરા નગર હવેલીમાં સંત શ્રી જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર, નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર, દાદરા જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાનદરેક મંદિરોમાં સત્‍યનારાયણની કથા સાથે ભજન-કિર્તન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રધ્‍ધાળુઓએ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. સામરવરણી પટેલ ફળીયા જલારામ મંડળ દ્વારા યોજાયેલા ભંડારામાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહથી લાભ લીધો હતો. દાનહના દરેક જલારામ મંદિર અને મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે ભજન-કિર્તન તથા કથાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દીવના કેવડી ખાતે થયેલા ડિમોલીશનમાં સાંસદના મૌન સામે ઉઠી રહેલા પ્રશ્નો

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment