Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

નાનાપોંઢા-કપરાડા સાહિત્‍ય મંચ દ્વારા આયોજીત સાહિત્‍ય કાર્યક્રમમાં અતિથિ વક્‍તા બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશનમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ ડો.જયંતિલાલ બી. બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ નાનાપોંઢા-કપરાડા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમણે આદિવાસી સાહિત્‍ય, ભાષા, લોક ઉત્‍સવ, લોક દેવતા વિશે સરળ સમજૂતી આપી કાર્યક્રમમાં સુંદર વક્‍તવ્‍ય પણ આપ્‍યું હતું.
વાપીમાં કાર્યરત અધ્‍યાપકશ્રી ડો.જયંતિલાલ બી. બારીસ ડાંગ જિલ્લાના આંતરીયાળ વિસ્‍તાર કેશબંધ તા.સુબિરના વતની છે. તેઓએ હિન્‍દી સાહિત્‍ય અને રાષ્‍ટ્રિય આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે ભારતીય સંસ્‍કૃતિ અંતર્ગત અનેક લેખો લખ્‍યા છે. તેમના આજ સુધી 10 પુસ્‍તકો તેમજ 38 આલેખ પ્રગટ થયા છે. પાંચ આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે અને 7 રાષ્‍ટ્રિય સ્‍તરે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ જગત અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment