April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

નાનાપોંઢા-કપરાડા સાહિત્‍ય મંચ દ્વારા આયોજીત સાહિત્‍ય કાર્યક્રમમાં અતિથિ વક્‍તા બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશનમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ ડો.જયંતિલાલ બી. બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ નાનાપોંઢા-કપરાડા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમણે આદિવાસી સાહિત્‍ય, ભાષા, લોક ઉત્‍સવ, લોક દેવતા વિશે સરળ સમજૂતી આપી કાર્યક્રમમાં સુંદર વક્‍તવ્‍ય પણ આપ્‍યું હતું.
વાપીમાં કાર્યરત અધ્‍યાપકશ્રી ડો.જયંતિલાલ બી. બારીસ ડાંગ જિલ્લાના આંતરીયાળ વિસ્‍તાર કેશબંધ તા.સુબિરના વતની છે. તેઓએ હિન્‍દી સાહિત્‍ય અને રાષ્‍ટ્રિય આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે ભારતીય સંસ્‍કૃતિ અંતર્ગત અનેક લેખો લખ્‍યા છે. તેમના આજ સુધી 10 પુસ્‍તકો તેમજ 38 આલેખ પ્રગટ થયા છે. પાંચ આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે અને 7 રાષ્‍ટ્રિય સ્‍તરે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ જગત અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

બોલીવુડના સુપર સ્‍ટાર અક્ષય કુમારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત : શૂટીંગ માટે સહયોગ આપવા બદલ પ્રગટ કરેલો આભાર

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

Leave a Comment