January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

નાનાપોંઢા-કપરાડા સાહિત્‍ય મંચ દ્વારા આયોજીત સાહિત્‍ય કાર્યક્રમમાં અતિથિ વક્‍તા બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશનમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ ડો.જયંતિલાલ બી. બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ નાનાપોંઢા-કપરાડા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમણે આદિવાસી સાહિત્‍ય, ભાષા, લોક ઉત્‍સવ, લોક દેવતા વિશે સરળ સમજૂતી આપી કાર્યક્રમમાં સુંદર વક્‍તવ્‍ય પણ આપ્‍યું હતું.
વાપીમાં કાર્યરત અધ્‍યાપકશ્રી ડો.જયંતિલાલ બી. બારીસ ડાંગ જિલ્લાના આંતરીયાળ વિસ્‍તાર કેશબંધ તા.સુબિરના વતની છે. તેઓએ હિન્‍દી સાહિત્‍ય અને રાષ્‍ટ્રિય આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે ભારતીય સંસ્‍કૃતિ અંતર્ગત અનેક લેખો લખ્‍યા છે. તેમના આજ સુધી 10 પુસ્‍તકો તેમજ 38 આલેખ પ્રગટ થયા છે. પાંચ આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે અને 7 રાષ્‍ટ્રિય સ્‍તરે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ જગત અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

Leave a Comment