Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો થઈ આશરે 140 જેટલા લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધું હતું, દીવખાતે પણ તે ઘટનાનું લોકો પર પ્રતિઘાત જોવા મળ્‍યો જેને લઈને વણાકબારા ગ્રામ પંચાયત તથા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મૃતકો માટે વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી, પુષ્‍પ અર્પણ કરી સાથે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રધ્‍ધાંજલી આપી હતી, સાથે ઘાયલ લોકો પણ વહેલીતકે સ્‍વસ્‍થ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, ઉપ સરપંચ શશીકાંતભાઈ, ડો.ભરત ચાવડા, વણાકબારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરસિંહભાઈ, જિલ્લા પંચાયત સદસ્‍યો ઉમેશ રામા, રામજીભાઈ, રામજી પારસમણિ, પુંજાભાઈ બામણીયા, ભીખાભાઈ વૈશ્‍ય, નરસિંહભાઈ ચારણીયા, રામજીભાઈ સોલંકી, ડો.હરેશ સોલંકી (ચૂલાવાડા), કિર્તી ગોહિલ, લક્ષ્મણ જીવા સોલંકી, મનોજ બારિયા, બાબુભાઈ વૈશ્‍ય ગ્રામ પંચાયત સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં મહાનુભાવો, મહિલાઓ અને પુરુષો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

Leave a Comment