April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીએથી આપવામાં આવેલ દિશા-નિર્દેશ અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સેલવાસ વિભાગમાં ટોકરખાડા બસ સ્‍ટેન્‍ડ નજીકસરકારી જમીન પર એક ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલ હતું તેઓને પ્રશાસન દ્વારા નોટિસ અને મૌખિક રૂપે સૂચિત કરવામા આવેલ છતાંપણ તેઓએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા ન હતા. જેને પ્રશાસનની ટીમે આજે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પાતલિયા ફળિયામાં ગેરકાયદેસર ઢાબો બનાવવામાં આવ્‍યો હતો એને પણ મહેસૂલ વિભાગની ટીમ તોડી પાડવા માટે પહોંચી હતી, પરંતુ ઢાબાના માલિકે જાતે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીહતી.
પ્રશાસન જાહેર જનતાને અનુરોધ કરે છે કે જે કોઈએ પણ સરકારી જમીન ઉપર, સરકારી કોતર અને નહેર ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને કાયદેસર રીતે હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

સંઘપ્રદેશ માટે લોકસભા પેટા ચૂંટણીનો અનુભવ પહેલો નથીઃ 1987માં દમણ-દીવ બેઠક માટે પણ યોજાયેલી પેટાચૂંટણી

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment