September 1, 2026
Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણ

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

વાત્‍સલ્‍ય શૈશવ શાળાના સંચાલક અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06: ગત શનિવારે સાંજે 7 વાગ્‍યે વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં સંચાલક શ્રી અપૂર્વ પાઠક તથા દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર આગેવાન શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ સ્‍થિત હંસા હોસ્‍પિટલના સંચાલક અને પ્રખ્‍યાત ડોક્‍ટર પંકજભાઈ દેસાઈના માર્ગદર્શનમાં મધુપ્રમેહ(ડાયાબીટીસ) રોગ બાબતે જાગરૂકતા અભિયાનના ઉદ્દેશ્‍યથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.5મીના શનિવારે સાંજે 7 વાગ્‍યાના સમયે નાની દમણના દાભેલ ખાતે આવેલ હંસા હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં શાળાના સંચાલક શ્રી અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અગ્રણી શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી મધુપ્રમેહ (ડાયાબીટીસ) રોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિર મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ આવ્‍યાહતા. જેમનું સુગરની માત્રા ચકાસવામાં આવી હતી. જેના માધ્‍યમથી લોકોમાં ડાયાબીટીસ રોગથી બચવાના ઉપાય અને તેના પ્રભાવથી છૂટકારો મેળવવા માટે ડો. પંકજભાઈ દેસાઈએ ખુબ જ ઊંડાણથી અને સરળતાથી પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે લાભાર્થી દર્દીઓ દ્વારા ડો. પંકજભાઈ દેસાઈને પૂછવામાં આવેલ પ્રશ્નો અને તેમની સમસ્‍યા ઉપર તેમના દ્વારા ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. જે તમામ માટે ભવિષ્‍યમાં ફાયદાકારક રહેશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી અપૂર્વ પાઠક, શ્રી જયંતિભાઈ પટેલ, ડો. પંકજભાઈ દેસાઈ, ડો. મીનાબેન દેસાઈ સહિત તેમનો પરિવાર અને તમામ સહાયક સ્‍ટાફનો ખુબ સહયોગ રહ્યો હતો.

Related posts

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

vartmanpravah

Leave a Comment