Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

સેલવાસથી મહારાષ્‍ટ્રના જવ્‍હાર તરફ અને જવ્‍હારથી સેલવાસ તરફ જઈ રહેલ એસ.ટી. બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં એક બસના ચાલકની હાલત ગંભીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીના સેલવાસથી નાશિક તરફ જઈ રહેલ એસ.ટી. બસ અને મહારાષ્‍ટ્રના જલગાંવથી સેલવાસ તરફ આવી રહેલ એક મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની પાલઘર જિલ્લાના જવ્‍હાર નજીક આવેલ જય સાગર ડેમ પાસે વળાંકમાં બે બસ સામસામે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતના પગલે બંને બસમાંના 25થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને પ્રથમ જવ્‍હારની કુટિર હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા. જ્‍યારે વધુ ગંભીર ઈજા પામનાર ત્રણ જેટલા વ્‍યક્‍તિઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્‍માતમાં એક બસના ચાલકનસ હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.
અત્રે યાદ રહે કે, મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનના બસના મોટાભાગના ચાલકો પુરપાટ ઝડપે બસ હંકારતા હોવાનું નજરે પડે છે. જેથી સરકાર દ્વારા આ બસની સ્‍પીડ પણ અમુક હદ સુધી મર્યાદિત રાખવામાં આવે જરૂરી છે.

Related posts

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

Leave a Comment