October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

વાપી ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, સત્‍સંગ સાથે રક્‍તદાન, મેડિકલ ચેકઅપ કેમ્‍પના આયોજનો કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શીખ ધર્મના સંસ્‍થાપક માનવતાના ઉત્‍થાયક ગુરુનાનક દેવજીનો 553મો જન્‍મોત્‍સવ વાપી, દમણ, સેલવાસમાં વસતા શીખ, સિંધી સમુદાય દ્વરા હર્ષોલ્લાસથી વાપી ગુરુદ્વારામાં પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી.
વાપી ચણોદમાં આવેલ ગુરુદ્વારામાં આજે મંગળવારે ગુરુનાનક દેવજીની જન્‍મ જયંતિની ઉજવણી પ્રકાશ પર્વથી શીખ અને સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, કિર્તન, સત્‍સંગ સાથે લંગર પ્રસાદના અનેકવિધ આયોજન કરવામાં આવ્‍યા હતા. તેમજ રક્‍તદાન કેમ્‍પ, મેડિકલ ચેકઅપ કેમ્‍પ જેવા આયોજનનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો હતો.
ગુરુનાનક દેવજી માત્ર એક ધર્મના સ્‍થાપક નહોતા પણ સૃષ્‍ટિના જગતગુરુ હતા. તેમનો જન્‍મ કારતક પુર્ણિમાના દિને 1467માં લાહોર નજીક આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. ગુરુનાનક સાહેબે સંસારમાં રહી માનવ સેવાને શ્રેષ્‍ઠ ધર્મ બજાવ્‍યો હતો. આજે વાપી ગુરુદ્વારામાં નાનકજીના સાથી ભાઈસાબ ભાઈ મર્દાનાજીના 17મા વંશજ ભાઈ ઈન્‍દ્રજીત સિંગ અને 18મા વંશજ એવા પુત્રો વાપી ખાતે ગુરુ સંગતની સેવામાં ખાસ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment