Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

ઉદ્યોગપતિઓ, ટ્રાન્‍સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્‍યવસાયી એવા જાણીતા ઉદ્યોગ અગ્રણી જયેન્‍દ્રસિંહ પરબતસિંહ પરમારનું આજરોજ સોમવાર સવારે તેમના નિવાસ સ્‍થાને અચાનક હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારને લઈ સમગ્ર વાપી વસાહતમાં સેંકડો લોકો શોકાતુર બન્‍યા હતા.
60 વર્ષિય સ્‍વ.જયેન્‍દ્રસિંહ પરમાર ઉર્ફે બાપુના હુલામણા નામથી ઓળખાતા હતા. પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય તેમજ એસ્‍ટેટ બજારમાં નોંધપાત્ર કામગીરી સુવિખ્‍યાત છે. વિશાળ મિત્ર વૃંદ ધરાવતા જયેન્‍દ્રસિંહ બાપુના અચાનક નિધનથી વાપીમાં શોકજનક સમાચાર પ્રસરી ગયા છે. આજે સોમવારે સૌરભ સોસાયટી જી.આઈ.ડી.સી. ગુંજન તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમ સંસ્‍કાર યાત્રા સાંજના 5 કલાકે નિકળી દમણગંગા નદી મુક્‍તિધાન યાત્રા પહોંચી હતી. યાત્રામાં સેંકડો ઉદ્યોગપતિ, ટ્રાન્‍સપોર્ટર સાથેવિશાળ મિત્ર વર્તુળ જોડાયો હતો. વ્‍યવસાયની સાથે સાથે જયેન્‍દ્રસિંહ બાપુ અનેક સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ સાથે સદા અગ્રેસર રહેતા હતા.
——

Related posts

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

Leave a Comment