October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

સાધકોએ માંગણી કરી હતી કે, આશારામ બાપુને જેલમાંથી મુક્‍ત કરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં આજે ગુરૂવારે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈ હતી. આશારામ બાપુના સાધકો દ્વારા યોજાયેલ યાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી.
વર્તમાન સમયમાં ચૂંટણીની રેલીઓ અને યાત્રાઓ યોજાવાના દોર ચાલી રહ્યો છે તે મધ્‍યે વલસાડ જિલ્લાના આશારામ બાપુના સેવકો સાધકો દ્વારા આજે ગુરૂવારે ભવ્‍ય હરિનામ સકિર્તન યાત્રા યોજી હતી.શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આયોજીત આ સકિર્તન યાત્રા વલસાડ હાલર ચાર રસ્‍તા સહિત શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ફરીને પાલીહીલ ખાતે પૂર્ણ થઈ હતી. ચૂંટણીના માહોલ વચ્‍ચે નિકળેલી યાત્રાના સાધકોએ માંગણી કરી હતી કે, અમારા ગુરૂ, ભગવાન શ્રી આશારામ બાપુ નિર્દોષ હોવા છતાં જેલમાં પુરી રખાયા છે. તેઓ સદેહ અમારી સાથે નથી પણ અમારા વચ્‍ચે વસી રહ્યા છે. પૂ.બાપુને જેલ મુક્‍ત કરો તેવી રેલીમાં જોડાયેલા ભાઈ-બહેનોએ માંગણી કરી હતી. રેલીમાં સેંકડોની સંખ્‍યામાં સાધકો જોડાયા હતા. શણગારેલા વાહનો ઉપર આશારામની મોટા કદની તસવીરો સાથે યાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી.

Related posts

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

પરિવારથી વિખૂટી પડેલી મહારાષ્‍ટ્રની મહિલાનું વલસાડના સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

Leave a Comment