April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વાપીનાં વેપારી એવા પ્રિયાંક શાહ અને વૈશાલીબેન શાહની દકિરી વૃષ્ટિ શાહનો ભરત નાટયમ આરંગત્રેમ્‌ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં માણવા માટે લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં. વૃષ્ટિ શાહે 7 વર્ષના પરિશ્રમ બાદ ભરત નાટ્‍યમ શાષાીય નૃત્‍યની તાલિમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ વીઆઈએ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વૃષ્ટિએ ભરત નાટયમનાં વિવિધ નૃત્‍ય જેમાં પુષ્‍પાંજલિ, શંકર સ્‍તુતિ, જતિશ્વરમ્‌, શબ્‍દમ્‌, વર્ણમ્‌, કિર્તનમ્‌, દેવી સ્‍તુતિ, પદમ્‌, તિલ્લાના, મંગલમ્‌, જેવા વિવિધ આરંગેત્રમ્‌,ના નૃત્‍ય પ્રદર્શિત કરી ઉપસ્‍થિત લોકોને પોતાની કલા નૃત્‍યથી મંત્રમુગ્‍ધ કર્યા હતાં.
વાપી પબ્‍લિક સ્‍કુલમાં ધો. 11માં અભ્‍યાસ કરતી વૃષ્ટિ શાહ, કરાટેમાં બ્‍લેક બ્‍લેટ તેમજ સ્‍કેટીંગ અને રાફયલ શુટીંગમાં સ્‍ટેટ લેવલ સુધી પહોંચવાની સિધ્‍ધી હાંસલ કરી ચૂકી છે.
આ અવસરે કલાગુરૂ ભાવનાબેને જણાવ્‍યું હતું કે, ભરત નાટયમ્‌ એ કોઈ નૃત્‍ય નથી પરંતુ ભારતની જીવંત સંસ્‍કળતિ છે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી ગોવિંદભાઈ બી. પટેલ (સી.એમ.ડી. જલારામ સ્‍ટીલ ફર્નિચરપ્રા.લી.) અને શ્રી ખીમજીભાઈ હરીભાઈ ચાવડા (જીવદયા પ્રેમી) ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમજ વાપી પબ્‍લિક સ્‍કૂલનાં આચાર્યા અલ્‍પાબેન કોટડિયા, હાર્દિક જોશી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને માણવા માટી મોટી સંખ્‍યામાં સ્‍નેહીજનો ઉમટી પડયા હતાં.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

Leave a Comment